ત્ર સુદ નવમી એટલે રામ નવમી પાવન પર્વ નિમિત્તે અકોટા વિસ્તારમાં આવેલ શ્રી રામેશ્વર સાંઈનાથ મંદિર દ્વારા છેલ્લા 25 વર્ષથી મહાયજ્ઞ, મહા આરતી અને મહા પ્રસાદી નુ આયોજન કરવામાં આવ્યું…..
ચૈત્ર સુદ નવમી એટલે ભગવાન શ્રી રામનો અવતરણ દિવસ રામ નવમી ના પવન પર્વ પર શ્રી રામેશ્વર સાઈનાથ મંદિર દ્વારા છેલ્લા 25 વર્ષથી અવિરત પણે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ ભંડારા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી રામેશ્વર સાઈનાથ મંદિર દ્વારા મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં 10 થી વધુ જોડા એ ભાગ લીધો હતો સાથે જ સાંજના સાત કલાકે સાંઈબાબા ની આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં થાય ભક્તો એ મહા આરતી નો લાહવો લીધો હતો અને આરતી સંપન્ન નો થયા બાદ મહાપ્રસાદી ની શરૂઆત કરવામાં આવી હતી મંદિર ના આયોજકો દ્વારા આયોજન કરાયું હતું જેમાં 8000 થી વધુ સાંઈ ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. સાથે આજે રામ નવમી ના પાવન પર્વ પર નાની બાળકીઓ એ ડાન્સ કર્યો હતો

