કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં નિર્દોષ 28 પર્યટકોના અવસાનની દુઃખદ ઘટના સામે દેશભરમાં શોકની લાગણી છે. આ પીડાનાં પળોમાં તેમનાં પરત્યાગ કરનાર આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આજે આમ આદમી પાર્ટી વડોદરા શહેર સમિતિ દ્વારા ગાંધી ગ્રૃહ ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ શ્રી અશોક ઓઝા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. મૌન પાળીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને આતંકી કૃત્યોની ઘોર નિંદા કરવામાં આવી હતી.

