નર્મદા ભુવન અને કુબેર ભવન બિલ્ડીંગ જર્જરિત થતા 64 કચેરીઓ તરસાલી ખાતે આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનોમા સ્થળાંતર કરવામાં આવી
જિલ્લાના નર્મદાભવન તથા કુબેરભવનના બિલ્ડીંગના સ્ટ્રેન્થનીંગની કામગીરી આગામી સમયમાં શહેર માર્ગ અને મકાન વિભાગ, વડોદરા દ્વારા હાથ ધરવામાં આવનારી હોય, તંત્ર દ્વારા નર્મદાભવન તથા કુબેરભવન ખાતે કાર્યરત સરકારી કચેરીઓને જ્યાં સુધી સ્ટ્રેન્થનીંગની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ બંને ભવનની કુલ 64 કચેરીઓ તરસાલી ખાતે આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનોમા સ્થળાંતર કરવામાં આવી છે. જે કચેરીઓ તાત્કાલિક સ્થળાંતરીત કરવા જિલ્લા કલેકટર ડો. અનિલ ધામેલીયાએ હુકમ કર્યો

