વડોદરાના ગાજરાવાડી સ્લોટર હાઉસની નર્કાગાર હાલત થઈ છે.મૃત જાનવરોના નિકાલની વ્યવસ્થા ઠપ્પ થઈ છે.ત્યારે,પાલિકાના વિપક્ષી નેતાએ સ્થળ મુલાકાત લઈ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા સ્લોટર હાઉસમાં જાનવરોના નિકાલની વ્યવસ્થા ઘણા દિવસોથી ઠપ્પ થઈ છે. આ વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાતા લોકો બીમારીના શિકાર થયા છે, તો કેટલાક લોકો આ વિસ્તાર છોડીને પલાયન થઈ રહ્યા છે. મહત્વનું છે કે, વડોદરા મહાનગર પાલિકામાં ફરી કોન્ટ્રાક્ટર રાજ જોવા મળ્યું છે. વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા પ્લોટર હાઉસની નર્કાગાર જેવી હાલત થઈ છે. આ સ્લોટર હાઉસમાં કોન્ટ્રાક્ટરએ કામગીરી બંધ કરતા છેલ્લા કેટલાક દિવસોથી કામગીરી ઠપ્પ થઈ છે.ત્યારે, સમગ્ર મામલે પાલિકાના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે શાસકોને આડે હાથ લઈ આકરા શબ્દોના પ્રહારો કર્યા હતા.

