ડભોઇ એક તરફ જ્યારે નેતાઓ ડિજિટલ ઇન્ડિયા અને સર્વાંગી વિકાસની ગુલબાંગો પોકારી રહ્યા છે, ત્યારે બીજી તરફ ડભોઇના મહુડી ભાગોળ અને ટીંબી ફાટક વિસ્તારમાં આવેલું સ્મશાન તંત્રની ઘોર બેદરકારીનો જીવતો જાગતો પુરાવો બની રહ્યું છે. આશરે 1000 જેટલા મકાનોની વસ્તી વચ્ચે આવેલું આ સ્મશાન આજે પોતે જ ‘મરણ પથારીએ’ હોય તેવી હાલતમાં છે.
સ્મશાનની કફોડી હાલત: મુખ્ય મુદ્દાઓ
જર્જરિત બાંધકામ: સ્મશાનના પાયા સડી ગયા છે અને સ્લેબમાંથી લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે. ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે સગડીનો અભાવ: નવાઈની વાત તો એ છે કે અહીં મૃતદેહને અગ્નિદાહ આપવા માટે યોગ્ય સગડી પણ નથી. મજબૂરીમાં મૃતદેહને જમીન પર રાખીને સળગાવવો પડે છે, જે અત્યંત આઘાતજનક છે ગંદકી અને ઝાડી-ઝાંખરા: સ્મશાનમાં ચારે તરફ કચરાના ઢગલા અને ગાંડા બાવળોનું સામ્રાજ્ય ફેલાયેલું છે. અંતિમ સંસ્કાર માટે આવતા લોકોને બેસવા માટે પણ કોઈ વ્યવસ્થા નથી.રહેવાસીઓનો આક્રોશ: સ્થાનિકોનું કહેવું છે કે, “શહેરમાં ગંદકી વચ્ચે જીવ્યા તો ખરા, પણ શું મર્યા પછી પણ ગંદકીના ઢગલા પર જ સૂવાનું
નેતાઓ સામે વેધક સવાલ વિકાસની વાતો કરતા ડભોઇના નેતાઓને જનતા સવાલ કરી રહી છે કે, શું મહુડી ભાગોળ વિસ્તારના લોકો માટે આ જ વિકાસ છે? સ્મશાનની આ દયનીય સ્થિતિ જોતા એવું લાગે છે કે તંત્રને માત્ર મત મેળવવામાં રસ છે, લોકોની મૂળભૂત સુવિધાઓમાં નહીં હવે જોવાનું એ રહ્યું કે
શું વહીવટી તંત્ર જાગશે શું આ સ્મશાનનું રિપેરિંગ કરવામાં આવશે કે નવું સ્મશાન બનાવીને લોકોને આ નરક જેવી સ્થિતિમાંથી મુક્તિ અપાવવામાં આવશે

