આ સમયે બી.સી.બોચલલિયા દ્વારા માનવ જીવન માટે આશીર્વાદ સમાન ઝેરમુક્ત ખેતી પદ્ધતિનો વ્યાપ વધારવા માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનું મહત્વ સમજાવવા અને કૃષિ વિશે ખેડૂતોને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તકે આત્મા પ્રોજેક્ટનાં ભરતભાઈ પટેલ દ્વારા સૌ ખેડૂત મિત્રોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવા માટે સૂચન કર્યું હતું. ગૌમૂત્રનો ઉપયોગ કરી પ્રાકૃતિક કૃષિમાં ખેતીનો ખર્ચમાં ઘણી બચત કરી શકાય છે અને કૃષિના ફાયદો વિશે ઊંડાણપૂર્વકની માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં નિવૃત્ત થતાં વિસ્તરણ અધિકારી એસ આર પટેલે જણાવ્યું હતું કે અત્યાર સુધીના મારા કાર્યકાળમાં સરકારની યોજનાઓ ખેડૂતોના ઘર સુધી પહોંચે તે માટે મેં અથવા તો પ્રયત્નો કર્યા છે અને ખેડૂતોને તમામ પ્રકારની યોજનાઓનો લાભ અપાવવા હંમેશા અગ્રેસર રહ્યો છું.
મેં મારી વિતરણ અધિકાર તરીકેની ભૂમિકા ખૂબજ તટસ્થ રીતે ભજવી છે. છેલ્લા ૨૨ વર્ષ સુધી કાર્યકાળમાં ચુડા તાલુકાનાં તમામ ગામડાઓમાં મુલાકાત કરીને સરકારી સહાય ખેડૂતો સુધી પહોંચાડી છે જેમાં મને તાલુકા પંચાયતનાં સ્ટાફ,વીસીઈ મિત્રો અને મારા ગ્રામ સેવકોએ મને ખૂબ જ સહકાર આપ્યો છે.
કાર્યક્રમનું સંચાલન ઇન્ચાર્જ વિસ્તરણ અધિકારી આશિષભાઈ હણે કર્યું હતું.
આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરતભાઈ પટેલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નાનાં કાંધાસરનાં બી.સી.બોચલિયા તથા ખેતીવાડી શાખાનાં તમામ કર્મચારીઓ તેમજ હોદ્દેદારો સાથે તનકસિંહ રાણા, લખધીરસિંહ જાદવ, ઇશ્વરભાઇ માધર, ઘનશ્યામભાઈ રોજાસરા, શિવભા રાણા, તથા તલાટી કમ મંત્રીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

