વડોદરા શહેરમાં ૧૩ ઇંચ વરસાદ નોંધાયો હતો જેમાં વડોદરા શહેર માં અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો અને માર્ગો પર વરસાદી પાણી સાથે કચરો ધસી આવ્યો હતો ત્યારે વરસાદે વિરામ લીધા બાદ વરસાદી પાણી ઉતર્યા છે ત્યારે કાદવ કીચડ સાથે કચરાના ઢગલા જોવા મળ્યા હતા ત્યારે વડોદરા શહેર સયાજીગંજ વિસ્તારમાં આવેલ પરશુરામ ભટ્ટા, નટરાજ ટાઉનશિપ, દર્શનમ્ , ખાતે પાણી ના નિકાલ ના અભાવે ગંદકીથી રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા યોગ્ય પાણીના નિકાલ અને સ્વચ્છતા ન કરાતાં રોગચાળો અને મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાની શક્યતાઓ વધી છે. પાલિકા તંત્ર દ્વારા જ્યાં જ્યાં પાણીના નિકાલ નથી થયા ત્યાં વરસાદી પાણીનો નિકાલ કરી સ્વચ્છતા તથા દવા છંટકાવની કામગીરી કરવી જોઈએ અન્યથા જે રીતે માનવ સર્જીત પુર જેવી પરિસ્થિતિ ઉદભવી છે તે જ રીતે રોગચાળો પણ વકરવાની શક્યતાઓ જોતાં લોકો ચિંતિત બન્યા છે

