33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
જગડિયાભરુચ જિલ્લો

ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભીમપોર ગામની યુવતીએ એસિડ ગટગટાવી લેતાં સારવાર દરમિયાન મોત

સમગ્ર મામલે પ્રાપ્ત અહેવાલ મુજબ, ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પીપહીપાન ગામ ભીમપોર ખાતે રહેતી રાધિકા ગણેશભાઇ વસાવાના લગ્ન અગાઉ સુરત ખાતે થયા હતા પરંતુ કોઇ કારણોસર ત્યાં છૂટાછેડા થયા હતા. પરિજનોના આક્ષેપો મુજબ બે દિવસ અગાઉ રાધિકાના પ્રેમી નટુભાઇ નટરવરસિંહ વસાવાની પત્નીએ આવીને રાધિકાને માર માર્યો હતો આ અંગેની જાણ થતાં રાધિકાના સગા મોહનભાઇ તથા પરિજનો રાધિકાને ઘરે લ ઇ આવ્યા હતા જ્યાં ગત 8ઓગસ્ટે રાત્રે સાડા દસની આસપાસ પ્રેમી નટુભાઇ બોલેરો ગાડી લ ઇને આવી રાધિકાને ક્યાંક લ ઇ ગયો હતો જે અંગે પરિજનો પોલીસ ફરિયાદ કરવા ગયાં હતાં પરંતુ પોલીસે ફરિયાદ લીધી ન હોવાના આક્ષેપો પરિજનોએ કરતાં જણાવ્યું હતું કે, ત્યારબાદ રાધિકાએ એસિડ પીધું કે પછી પિવડાવવામા આવ્યું હોય તે ખબર નથી પરંતુ તેને સૌ પ્રથમ અવિધા ગામની સરકારી હોસ્પિટલમાં લ ઇ જવાઇ હતી જ્યાંથી વધુ સારવાર અર્થે જી.એમ.ઇ.આર.એસ.હોસ્પિટલ રાજપીપળા ખાતે ખસેડવામાં આવી હતી જ્યાંથી તેને રિફર કરી વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેણીનું સારવાર દરમિયાન તા.09ઓગસ્ટ, શુક્રવારે SICU Dયુનિટ ખાતે નિધન થયું હતું. પરિજનોએ નટુભાઇ સામે પોલીસ એફ આઇ આર કરી ધરપકડ કરવાની માંગ પર અડી ગયા હતા અને મૃતદેહનુ પોસ્ટમોર્ટમ ન કરવા જીદે ચઢતા હોબાળો મચાવ્યો હતો.

Related posts

અંકલેશ્વરના પાનોલી GIDC ની સંઘવી કેમિકલ કંપનીમાં ભીષણ આગની ઘટના

admin

અંકલેશ્વર નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે 48 પર આવેલા એક સ્ક્રેપ ગોડાઉનમાં ભીષણ આગ લાગી

admin

ભરૂચની કેમેક્સ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ..

admin

Leave a Comment