છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના શિહોદ ગામે ભારજ નદી ઉપર નેશનલ હાઇવેનું ૨.૨૮ કરોડના ખર્ચે બનેલ ડાયવર્ઝન પાંચ મહિનામાં તુટી ગયું હતું. જેની જાણ છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાને થતા સાંસદ જશુભાઈ રાઠવા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. સાંસદ જશુભાઈ રાઠવાએ જણાવ્યું હતું. કે ડાયવર્ઝનનું વહેલી તકે સમારકામ થાય તેમજ નવા બ્રિજની મંજુરી મળે તેવા પ્રયાસો કરું છું. સાથે સાંસદ જશુભાઈ રાઠવાએ સ્થળ ઉપરથી અધિકારીઓને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી વાત કરી હતી.

