વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખા ની ટીમ દ્વારા પ્રતાપ નગર બ્રિજ નીચેથી બરોડા ડેરી તરફ જતા માર્ગ ઉપર શાકભાજીના પથારા લઈને વેપાર કરતા પથારા ધારકો પર કાર્યવાહી કરી શાકભાજી સહિતનો સામાન જપ્ત કર્યો હતો.
એકાએક દબાણ શાખા ની ટીમ આવી કાર્યવાહી કરી અને શાકભાજી રસ્તા પર ફેંકી દીધા હોવાનો આક્ષેપ પથારાધારક મહિલાઓએ કર્યો હતો જ્યારે અધિકારીએ જણાવ્યું હતું કે વારંવાર તેમને કહેવા છતાં પણ આ જગ્યાએથી ન ખસતા આખરે કાર્યવાહી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખની હશે કે મોટા દબાણો સામે નતમસ્તક થઈ જતું દબાણ શાખા આવા નાના પથારાવાલા અને લાલી ધારકો પર કેમ કાર્યવાહી કરે છે તે સમજાતું નથી

