Genius Daily News
ડેડીયાપાડાનર્મદા જિલ્લો

ડેડીયાપાડા સાગબારા ની જનતાને યાલ પાસે નું ડાયવર્ઝન તૂટી જતા જિલ્લામાં મુખ્ય મથકે જવા માટે 25 km નો ફેરાવો

ડેડીયાપાડા મોવી રોડ અને વચ્ચેના પૂલોના કારણે બંને તાલુકાની જનતાને કાયમી મુશ્કેલી નો સામનો કરવો પડે છે ગરીબ જનતાનો પેટ્રોલ ડીઝલનો પણ ખર્ચ ડબલ થાય છે અને બસ સહિતનું ભાડું પણ બમણું થાય છે

રોડ અને બ્રિજ મંજુર થયો છે પરંતુ ગ્રાન્ટ મોડી મળતા હજુ સુધી કામ ચાલુ થઈ શક્યું નથી જેથી પ્રજા ત્રાહિમામ પોકારી ચૂકી છે

પ્રાપ્ત મુજબ ડેડીયાપાડા સાગબારા ની જનતાને વર્ષોથી મોવી ડેડીયાપાડા નું રોડ અને પુલ સુધી નથી રહ્યા તેમને કાયમી ધોરણે હેરાનગતિનો સામનો કરવો પડે છે ગયા વર્ષે લાલ ખાતેનો પુલ તૂટી પડ્યો હતો અને પાણી સાથે જ ખેંચાઈ ગયો હતો જે બાદ તંત્રની ઘોર બેદરકારી અને સરકારી ની મંજૂરની અભાવે પૂલ નું કામ ગયા વર્ષે શરૂ ન થઈ શકતા તેના ઉપર કામ ચલાવ ડાઈવરઝન બનાવવામાં આવ્યું હતું. જે પણ 36લાખના ખર્ચે બનાવ્યું હતું તે પૂરના પાણીમાં ખેંચાઈ ગયા બાદ ફરી ડાઈવર્ઝન 30 લાખના ખર્ચેબનાવવામાં આવ્યો હતો અને જેના ઉપરથી માંડ કાર મોટરસાયકલ પસાર થઈ શકતા હતા બસ સેવા અને મોટી ગાડીઓ પસાર થતી નથી પરંતુ આ પહેલા જ વરસાદમાં આ વર્ષે ફરીથી આજેઆ ડ્રાઈવરઝન પાણીમાં વહી જતા બંને તાલુકાની જનતાને 25 થી 26 કિલોમીટરનો ફેરવો કરવાનો વખત આવ્યો છે અને આ સિવાય પણ આ રોડ કે ભ્રષ્ટાચાર ના કારણે કાયમી ટકી શકે તેવો ન બનતા વારંવાર આ રોડ પર પસાર થવા માટે લોકોને મુશ્કેલી પડી રહી છે જેથી લોકો ત્રાહિમામ પોકારી ચુક્યા છે હવે ફરીથી આર એન બી વિભાગ દ્વારા આ ડાયવર્ઝન બનાવવામાં આવશે તેવી માહિતી તો આપવામાં આવી છે પરંતુ તે પણ વધુ વરસાદમાં ટકશે કે નહીં તે હવે કુદરતના હાથમાં જ લાગી રહ્યું છે લોકોના ટેક્સના પૈસા આ રીતે બેડફાઈ પણ રહ્યા છે પરંતુ પ્રજા લાચાર થઈને તમાશો જોઈ રહી છે મોટા ગજાનાં નેતાઓ પણ આ મુદ્દે મગનું નામ મરી પાડતા નથી જેથી જનતામાં ભારે રોષની લાગણી ફેલાઈ છે અને મોવી ડેડીયાપાડા નું હવે કાયમી ધોરણે સોલ્યુશન આવે તેવી માંગ પણ કરી રહ્યા છે મોવી ડેડીયાપાડામાં રોડ અને રસ્તાના કામોમાં કાયમી ધોરણે ભ્રષ્ટાચારની બુમો અને ડાયવર્ઝન માં ફરિયાદો પણ જાણીતા લોકો દ્વારા કરવામાં આવી હતી પરંતુ મુખ્યમંત્રી સુધી ફરિયાદ છતાં પણ તંત્રના માથા ઉપર ચાર હાથ હોય તેમ કોઈપણ અધિકારીનો વાળ વાંકો થયો નથી

આ બાબતે નર્મદા જિલ્લાના આર એન બી વિભાગના એજ્યુકેટીવ એન્જિનિયર મોદીજી એ જણાવ્યું હતું કે આ વખતે પણ ડાઈવરઝન ની ઉપર થી પાણી જતા અને ખૂબ જ વધારે પડતા પાણી આવવાના કારણે આ ડાઈવરજન પાણીમાં ખેંચાઈ ગયું છે નવા ટેન્ડર થઈ ચૂક્યા છે મંજૂર પણ થઈ ચૂક્યા છે જે નવા વર્ષથી કામગીરી પણ ચાલુ થશે પરંતુ આ વર્ષે ફરીથી આ પ્રકારનું ડ્રાઈવરજન નાની ગાડીઓ માટે બનાવવામાં આવશે એવી પણ માહિતી આપી હતી

રિપોર્ટર : સુનિલ વર્મા, ડેડીયાપાડા

Related posts

સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં રોડ પર દીપડા ની દોડ કેમેરામાં થઈ કેદ

admin

ડેડીયાપાડા તાલુકા વિકાસ અધિકારીની મહેનતના કારણે મનરેગા યોજના રોજીરોટી આપવામાં ડેડીયાપાડા સમગ્ર ગુજરાતમાં આગળ

admin

ઉમરગામથી શરૂ થયેલી જનજાતિય ગૌરવ યાત્રા નર્મદા સુગર ફેકટરી ધારીખેડા ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું

admin

Leave a Comment