વડોદરા ના ખંડેરાવ માર્કેટ ખાતે આવેલ ગુરુદ્વારા નાનકવાડી ખાતે ગુરુ નાનક દેવજીના 556માં પ્રકાશ પર્વ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી ઐતિહાસિક ગુરુદ્વારા નાનક વાળી ખાતે તમામ ગુરુદ્વારા ના પ્રબંધક કમિટીઓ તથા ગુરુનાનક લેવા સાદ સંગાથ દ્વારા ધર્મ પ્રેમી નગરજનો ના સાથ સહકારથી શ્રદ્ધાપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી. શ્રી ગુરુનાનક દેવજીના 556 ની જન્મ જયંતી નિમિત્તે ગુરુદ્વારા નાનકવાડી ખાતે શ્રી ગુરુ ગ્રંથ સાહેબના ગુરુવાણી ના નિરંતર અખંડ પાઠ કરવામાં આવી રહ્યા છે જ્યારે સંગીત દ્વારા શહેરમાં પ્રભાતેરીઓ કીર્તન પણ કરવામાં આવ્યું છે. અગાઉ ઐતિહાસિક ગુરુ દ્વારા નાનકવાડી ખંડેરાવ માર્કેટથી સુંદર પાલકી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી ગુરુ ગ્રંથ સાહેબજી ની સવારી સાથે પાંચ પ્યારાઓ નિશાન સાહેબ સુંદર ગાડીમાં ગુરુવાણી ના મનમોહન કીર્તન સાથે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. શ્રી ગુરુ નાનક દેવજીના 556માં પ્રકાશ પર્વ નિમિત્તે ગુરુદ્વારા નાનકવાડી ખાતે ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

