ઝઘડિયાની ૧૦ વર્ષની માસૂમ કિશોરી પર દુષ્કર્મ થતા તેનુ મોત થયુ હતુ. આ ઘટનાને લઈને ચારેબાજુ રોષ ફાટી નીકળ્યો છે ત્યારે આજે કોંગ્રેસે ન્યાય મંદિર ખાતે મોટી સંખ્યામાં મહિલાઓને સાથે રાખીને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને ગુજરાતની નિર્ભયાને શ્રદ્ધાંજલિ તેવા શિર્ષક સાથે બેનર- પ્લે કાર્ડથી દેખાવો કર્યો હતો. શહેર કોંગ્રેસે આજે બુધવારે સાંજે ૬-૩૦ કલાકે ન્યાય મંદિર ખાતે ભગતસિંહની પ્રતિમા પાસે ગુજરાતની નિર્ભયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટેનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી અને તેમણે ઝથડિયાની નિર્ભયાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમજ ભાજપના શાસનમાં કાયદો વ્યવસ્થા કથળી, મહિલાઓ પર અત્યાચારની સંખ્યા વધી, ગુજરાતની નિર્ભયાને ન્યાય

