વડોદરામાં બહુચર્ચિત ‘હરણી બોટકાંડ’માં અત્રેની નામદાર અદાલતમાં 15 જેટલા આરોપીઓએ ડિસ્ચાર્જ અરજી કરી હતી જેના પર લગભગ 1 વર્ષ સુધી દલીલ ચાલી હતી,આખરે આજે નામદાર અદાલતે આરોપીઓની ડિસ્ચાર્જ અરજીને નામંજૂર કરી હતી.હરણી બોટકાંડમાં સરકાર તરફે વકીલ અનિલ દ્દેસાઈએ ધારધાર દલીલ અને તથ્યો રજુ કર્યા હતા,સરકરી વકીલ અનિલ દેસાઈએ જણાવ્યું હતું કે,હરણી બોટકાંડ ગંભીર બેદરકારીના પરિણામે સર્જાયો હતો,બાળકોની સલામતીની કોઈ જ વ્યવસ્થા ન હતી,બોટમાં કેપેસીટી કરતા વધુ લોકોને બેસાડવામાં આવ્યા હતા.ગેરકાયદેસરના કૃત્યોથી માનવવધ થયો હતો.
previous post

