પાલિકાની બેદરકારીથી વડોદરાની ધરોહર ખતરામાં છે. ગમે ત્યારે માંડવી દરવાજો ધરાશાયી થઇ શકે છે. જે અંગે કામગીરી હાથ ધરાઇ હતી. પણ બાદ માં કોઈ કારણોવશ કામગીરી બંધ રહેતા આજરોજ કોંગ્રેસ દ્વારા ધરોહર ને બચાવવા હાથ માં પ્લે કાર્ડ સાથે દેખાવો કર્યા હતા. ત્યારે ગંભીર બનેલા માહોલ ને લઈ ને તેમજ માંડવી ગેટ ને લઈ ને પુરાતત્વ વિભાગના અધિકારીઓ પણ ચિંતા સાથે માંડવી ગેટ પહોંચ્યા હતા. અને વહેલી તકે કામગીરી કરવી જરૂરી છે નું જણાવ્યું હતું. ઉપરાંત વિધાનસભા દંડક બાલુ શુક્લએ પણ માંડવીની દુર્દશા નિહાળી સબંધીત અધિકારીઓ સાથે મિટિંગ કરી આનું નિરાકરણ લાવવાની બાહેંધરી આપી હતી.

