33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગુજરાત ના મુખ્યમંત્રી માંજલપુર ના ધારાસભ્યની ખબર કાઢવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા

વડોદરાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી, ધારાસભ્યની ખબર કાઢવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. તે સમયે ધારાસભ્યએ વિશ્વામિત્રી નદી અને અમદાવાદથી ભરૂચ તરફ તળાવોને પાણીથી ભરી આપવાના મહત્વના મુદ્દે રજુઆત કરી દીધી હતી. જેની સામે મુખ્યમંત્રી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી ધારાસભ્ય યોગેશ પટેલે મીડિયાને જણાવ્યું કે, અગાઉ ગૃહમંત્રી તથા અન્ય આવ્યા હતા. તે સમયે હું તડકામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી નિહાળવા ગયો હતો. તે તાપમાં મને અસર થતા મને એડમિટ કરવો પડ્યો હતો. ત્રણ દિવસની સારવાર બાદ મને રજા આપી દેવામાં આવી હતી. હું જ્યારે દવાખાનામાં હતો ત્યારે ટેલિફોનીક વાત ચાલતી હતી. ઘરે આવીને તેમણે આજે મારી ખબર અંતર કાઢી છે. મુખ્યમંત્રી અને દંડક મારા નિવાસ સ્થાને આવ્યા હતા. ત્યારે મેં વિશ્વામિત્રી નદી માટે વધારાની માંગણી કરી છે, વિશ્વામિત્રી પસાર થાય છે ત્યાં ચાર વિધાનસભા લાગે છે, સોસાયટીઓનું ગંદુ પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવે છે. સરકાર અમને પૈસા આપે, જેથી અમે (પાલિકા) આ સમસ્યાનો નિકાલ કરવા અંગેનું આયોજન કરી શકીએ. તથા વિશ્વામિત્રી નદીનું પાણી ચોખ્ખું થાય. ગટરોનું પાણી ટ્રીટ કરવા માટે નવા એસટીપી પ્લાન્ટ ઉભા કરવા પડે. ગંદુ પાણી જો સ્વચ્છ થઇને જાય તો નદી ચોખ્ખી થઇ જાય.

Related posts

કેવડા બાગ ખાતે આવેલા બેઠક મંદિરમાં કાંકરોલી યુવરાજનો જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી….

admin

વડોદરાના ગોરવા વિસ્તારમાં મંદિરની સેવા-પૂજા બાબતે મારામારી

admin

અન્ન/વવદાન સેવાકીય મહાયજ્ઞ ના પેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment