વડોદરા સ્માર્ટ સીટી કહેવાય પણ કદાચ છે નહિ! કારણ વડોદરાનો વહીવટ ભ્રષ્ટાચાર ભરપૂર છે પરિણામે વડોદરાના વિકાસને ગ્રહણ લાગ્યું છે,વડોદરાના રસ્તાઓ પર ગમે ત્યારે ભૂવાઓ ધુણવા માંડે છે જેનું કારણ પણ ‘ભ્રષ્ટાચાર’ હોવાનું મનાય છે! ભર ઉનાળે વડોદરામાં સતત ભૂવાઓ પડી રહ્યા છે,તેવામાં વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં દીપિકા ગાર્ડન પાસે પણ ભ્રષ્ટાચારનો ભુવો દેખાઈ રહ્યો છે. વરસાદ પહેલા જ રસ્તા ખંખેરાઈ ખાડાઓમાં ફેરવાઈ રહ્યા છે, જે જોખમરૂપ બન્યા છે ત્યારે પ્રશ્ન ઉઠે છે કે,આ બધું કયા અધિકારીઓની મંજુરીથી ચાલી રહ્યું છે? શું તંત્ર કોઈ ભ્રષ્ટાચારની ભેટ ચઢે પછી કાર્યવાહી કરશે?

