33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નાગરિકોમાં અંગદાન અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી “સાયકલોથોન” કાર્યક્રમનું આયોજન

માનવજીવનને બચાવવા માટે દુનિયા વિવિધ પદ્ધતિઓ અજમાવી રહી છે. તેમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે – અંગદાન. ઘણીવાર આવું બને છે કે અકસ્માત કે કોઈ ગંભીર રોગના કારણે દર્દીનું અંગ ખોટું જાય છે. આવા સમયે કોઈ બીજાની મદદથી – જેમકે કિડની, યકૃત, આંખ વગેરેનું દાન – તેનું જીવન બચી શકે છે.

આ જ વિષયને ધ્યાને રાખી વડોદરા શહેરમાં “અંગદાન જાગૃતિ અભિયાન” નું આયોજન કરવામાં આવ્યું. આ અભિયાનને આરંભમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખ,શહેર ભાજપ પ્રમુખ, ડે મેયર, ડો મિતેશ શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અભિયાન દરમિયાન વિવિધ હોસ્પિટલોના તજજ્ઞ ડોકટરો અને સ્વયંસેવકોએ લોકોને અંગદાન વિશે માહિતી આપી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યૌવનો અને વડીલોએ આ અભિયાનમાં ભાગ લીધો. “મૃત્યુ પછી પણ જીવવાનો સારો માર્ગ – અંગદાન” જેવા નારા સાથે રેલી યોજવામાં આવી.

Related posts

સાવલી તાલુકામાં ૩૧ ડિસેમ્બરના અનુસંધાને સાવલી પોલીસ દ્વારા વાહન ચેકિંગ ડ્રાઇવ

admin

છોટાઉદેપુર તાલુકાના ખેડૂતોને ખાતર મેળવા માટે ફક્ત ધરમ ધક્કા જ ખાવાનો વારો આવ્યો

admin

33% મહિલા અનામત અને મહિલાઓ પર અત્યાચાર ના ગુનામાં ગુનેગારોને કડકમાં કડક સજા થાય બેનરો સાથે દેખાવો કરી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

admin

Leave a Comment