મહારાષ્ટ્રમાં મનસે અને ઉધ્ધવ ઠાકરેની શિવસેના સાથે ચાલી રહેલા ભાષા વિવાદને શહેરમાં એક ખાનગી સોશિયલ મિડિયા ચેનલના કર્મી દ્વારા વડોદરાની શાંતિમાં પલિતો ચાપવાનો પ્રયાસ કરતા શિવસેના દ્વારા વિરોધ સાથે પોલીસ કમિશનરને આવેદનપત્ર
છેલ્લા થોડા દિવસથી મુંબઇમાં રાજ ઠાકરે ની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મ.ન.સે.) તથા પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની શિવસેના દ્વારા હિન્દી ભાષા મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે પરંતુ અન્ય રાજ્યોમાં તેની કોઈ અસર નથી થઇ ખાસ કરીને વડોદરા શહેરમા એની અસર નથી થ ઇ તેની પાછળનું કારણ કે વડોદરા એ ગાયકવાડ રાજાની નગરી છે ગાયકવાડ રાજા પ્રજાવત્સલ રાજવી હતા જેના કારણે વડોદરા શહેરમાં મહારાષ્ટ્રિયન સમુદાય સહિત વિવિધ રાજ્યોના, અલગ અલગ ધર્મ જ્ઞાતિના લોકો એકબીજા સાથે હળીમળીને રહે છે અને એકબીજાના ધાર્મિક, સામાજિક ઉત્સવો ભાઇચારા સાથે ઉજવતા હોય છે પરંતુ હાલમાં એક ખાનગી સોશિયલ મીડિયા ના કર્મી દ્વારા મુંબઈ ના વિવાદ અંગે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મરાઠી અને અન્ય લોકો વચ્ચે વૈમનસ્ય ઉભું થાય અને શહેરની શાંતિ ડહોળાય તેવી પોસ્ટ,કોમેન્ટ્સ કરતાં સમગ્ર મામલે આજે શિવસેના વડોદરા શહેર દ્વારા દિપક પાલકની આગેવાનીમાં શહેર પોલીસ કમિશનર ને આવેદનપત્ર આપી જરુરી કાર્યવાહી હાથ ધરવા રજૂઆત કરવામાં આવી હતી.

