દશામાંના વ્રતને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેર માં ડી.જે.ના પ્રતિબંધ ના કારણે બરોડાની દશામાં મંડળ દ્વારા ઢોલ નગારા સાથે દશામા ની આગમન યાત્રા નીકળી….
દશામાં ના વ્રતને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે માઈ ભક્તો અને મંડળો દ્વારા વાજતે ગાજતે માં દશામાં ની આગમન યાત્રા કાઢવામાં આવે છે માં દશામાં વ્રત વડોદરા શહેરમાં ખુબજ ભક્તિ અને હર્ષ ઉલ્લાસ થી ઊજવામાં આવે છે. માઈ ભગતો દ્રારા દસ દિવસ પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેર રણ મુક્તેશ્વર પાસે આવેલ બરોડા ની દશામાં મંડળ દ્વારા ઢોલ નગારા સાથે દશામા ની આગમન યાત્રા કાઢવામાં આવી હતી. તંત્ર દ્વારા શહેરમાં ચાર દરવાજા માં ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે માઈ ભક્તો દ્વારા માં દશામાં ની પ્રતિમા ઢોલ નગારા સાથે આગમન યાત્રા કાઢવામાં આવી હતી અને માઈ ભક્તો ઢોલ નગારા ના તાલે ઝૂમ્યા હતા

