બનાવને પગલે કારેલીબાગ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરા શહેરમાં ઉંદર કરડવાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના સલાટ વાળા વિસ્તારમાં રહેતા 40 વર્ષીય સંદીપભાઈ મોરેને ગત રાત્રીએ તેમના ઘરમાં માથામાં અને ડાબા પગમાં ઉંદર કરડી જતા તેઓને બેભાન અવસ્થામાં સારવાર માટે એસએસસી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં બીજા દિવસે આજરોજ હોસ્પિટલના icu યુનિટમાં ફરજ પરના તબીબે તેમને મરણ જાહેર કર્યા હતા.બનાવને પગલે કારેલીબાગ પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે

