પાદરા નગર મા અંબાજી તળાવ ખાતે દશામાં ને વિદાય આપવામાં આવી હતી પાદરા નગર ની શ્રધ્ધાળુઓનું દસ દિવસનું આતિથ્ય માણી મંગળવારે મળસ્કે દશામાંએ વિદાય લીધી હતી. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પાદરા અંબાજી તળાવ ખાતે એકત્ર થયાં હતાં અને શ્રદ્ધાપૂર્વક દશામાની પ્રતિમાઓનું વિસર્જન કર્યુ હતું. વ્રતના અંતિમ દિવસે શ્રદ્ધાળુઓએ માતાજીની જાગરણ કરી હતી. મોડી રાત્રિથી વાજતે ગાજતે મા દશામાની શોભાયાત્રાઓ નીકળી હતી. પાદરા શહેરના ના અંબાજી તળાવ ખાતે દશામાની પ્રતિમાઓના વિસર્જન માટે વહીવટીતંત્રએ વ્યવસ્થા ઉભી કરી હતી. જ્યારે પાદરા તાલુકા આવેલા ડબકા અને મુંજપુર મહિસાગર નદીમાં પણ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

