43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ભાજપના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરેના નિવાસ્થાને શ્રીજીના દર્શન કરી નેતાઓએ ધન્યતા અનુભવી

ગણેશ ઉત્સવની ધામધુમ પૂર્વક ઉજવણી ચાલી રહી છે ત્યારે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સુભાનપુરા ખાતે ભાજપના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરેના નિવાસ્થાને પણ શ્રીજી ની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે આજે ” આયરે પરિવારના રાજા “બાપ્પા દર્શન માટે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિધ દેસાઈ દર્શન માટે પધાર્યા હતા. શ્રીજીના દર્શન કરી નેતાઓએ ધન્યતા અનુભવી હતી. આયરે પરિવારને ગણેશ ઉત્સવની શુભકામનાઓ આપી હતી.

ગણેશ ઉત્સવના આજે સાતમા દિવસે આયરે પરિવારના રાજા શ્રીજીની પ્રતિમાનું ઇકો ફ્રેન્ડલી રીતે વિસર્જન ઘર આંગણે જ કરવામાં આવ્યું હતું. યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે, ભાજપ નેતા રાજેશ આયરે, પૂર્વ કોર્પોરેટર પૂર્ણિમાબેન આયરે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ આયરે પરિવારના જીતેન્દ્ર આયરે, દિપક આયરે, રોનક આયરે, નિસર્ગ આયરે સહીત પરિવારે અને કાર્યકર્તા ઓ ગણપતિ બાપા મોરિયા ના જયઘોષ સાથે પૂજન અર્ચન આરતી કર્યા બાદ ઘર આંગણે ઇકો ફ્રેન્ડલી વિસર્જન કરી બાપ્પા ને આવતા વર્ષે વહેલા આવો અને સૌ લોકોનું કલ્યાણ કરો ની પ્રાર્થના કરી હતી

Related posts

સાવલીમાં દરવર્ષની મુજબ પરંપરાગત સામુહિક ઈફતાર પાર્ટી યોજાઈ

admin

વડોદરા પોલીસે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ 36 ચોરાયેલા મોબાઈલ પરત કર્યા

admin

હોટેલ સુર્યા પેલેસ ખાતે સિલ્ક ઇન્ડિયા પ્રદર્શનનો પ્રારંભ

admin

Leave a Comment