શિક્ષણ મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને પુનિયાવાંટ એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના ૭૫મા વન મહોત્સવ-૨૦૨૪ની ઉજવણી કરવામાં આવી હતી.
વન મહોત્સવનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શિક્ષણમંત્રીએ સ્કૂલના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે બેઠક યોજીને બાળકો સાથે સંવાદ કર્યો હતો.
આ તકે મંત્રીએ વિદ્યાર્થીઓ પાસેથી સ્કૂલની સુવિધાઓ વિશે માહિતી મેળવી હતી. મંત્રીએ વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે પંરપરાગત કળા શિખવાનું જણાવીને સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો હતો તથા શાળાના આચાર્ય અને શિક્ષકોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

