31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

અર્બન આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે ટીબીની સારવાર ચાલતા દર્દીઓને ટીબી રોગની માહિતી માટે પેશન્ટ- પ્રોવાઇડર મીટીંગ યોજાઈ.

છોટાઉદેપુરના અર્બન આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણેના આદેશ અનુસાર અને તાલુકા હેલથ ઓફીસર ડો મનહર રાઠવાના માર્ગદર્શન હેઠળ અર્બન આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુરના મેડીકલ ઓફીસર ડો હીરલ રાઠવાના સહયોગથી ટીબીની સારવાર ચાલુ હોય તેવા ટીબી દર્દીઓને ટીબી રોગ અંગે પેશન્ટ- પ્રોવાઇડર મિટીંગ બોલાવી ટીબી રોગના લક્ષણો તપાસ અને સારવાર વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. હેથળ ટીબીની સારવાર ચાલુ હોય તેવા ટીબી દર્દીઓને ટીબી રોગ અંગે પેશન્ટ- પ્રોવાઇડર મિટીંગ બોલાવી ટીબી રોગના લક્ષણો તપાસ અને સારવાર વિશે વિસ્તૃત જાણકારી અબઁન આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે આપવામાં આવી હતી. જેમાં એક ટીબી રોગના દર્દીઓ માટે સરકાર દ્વારા મળતી સેવાઓ વિનામૂલ્યે તપાસ, સારવાર તેમજ વિશે તથા નિક્ષય પોષણ સહાય યોજના હેઠળ દર્દી નાં બેંક એકાઉન્ટ માં જમા કરવામાં આવતા રૂપિયા ૫૦૦ તેમજ ટ્રાઈબલ દર્દી માટે મળતી રૂપિયા ૭૫૦ સહાય વિશે પણ વિસ્તૃત વાત જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણે કરી હતી. યોજાયેલ પેશન્ટ પણ જરૂરી માહિતી સિનિયર ટીબી લેબોરેટરી સુપરવાઈઝર પરેશભાઈ વૈદ્ય, સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર મનહરભાઈ વણકર પણ આપી હતી. મિટિંગ માં જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ ,અબઁન આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુર ના મેડીકલ ઓફીસર ડો હીરલ રાઠવા ,સદામભાઈ જીલલા પંચાયત તથા સિનિયર ટીબી લેબોરેટરી સુપરવાઈઝર પરેશભાઈ વૈદ્ય, સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર મનહરભાઈ વણકર સહિત આરોગ્ય સુપરવાઈઝર રાજુભાઈ રાઠવા તેમજ લેબોરેટરી ટેકનીશીયન રાહુલભાઈ ઠક્કર સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના તમામ કર્મચારીઓ તથા ટીબી ચેમ્પિયન્સ અને ડોટ્સ પ્રોવાઇડરો તથા ટીબી રોગના દર્દીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

કયા કારણોસર જમીન સર્વે કરવામાં આવે છે ? તેનો જવાબ તંત્ર ના આપતા રોષે ભરાયેલા આદિવાસીઓ ઢોલ નગારા સાથે નસવાડી મામલતદારને આવેદન પત્ર આપ્યું

admin

જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા દરબાર હોલ છોટાઉદેપુર ખાતે ૨૪ માર્ચ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી અંતર્ગત ટીબી મુક્ત ગ્રામ પંચાયત સન્માન કાર્યક્રમ યોજાયો.

admin

છોટાઉદેપુર તાલુકા સમસ્ત આદિવાસી સમાજની ચિંતન શિબિર છોટાઉદેપુર નગરમાં આવેલ તાલુકા શાળા નંબર એક ખાતે યોજાઈ

admin

Leave a Comment