પવિત્ર શ્રાવણ માસના છેલ્લા શનિવારે સુરસાગર કિનારે આવેલ શ્રી હઠીલા હનુમાનજી મંદિરે 1001 બિસ્કીટના હિંડોળા કરવામાં આવ્યા
પવિત્ર શ્રાવણ માસના છેલ્લા શનિવારે વડોદરા શહેરના સુરસાગર કિનારે આવેલ શ્રી હઠીલા હનુમાનજી મંદિરે શ્રાવણ માસ માં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે હનુમાન દાદા ને 1001 બિસ્કીટના હિંડોળા કરવામાં આવ્યા હતા અને હનુમાન દાદાને શ્રીનાથજી ભગવાનના વાઘા પહેરાવ્યા હતા અને વર્ષોની પરંપરા મુજબ આજે મંદિરના પ્રાંગણમાં ભગવાન શ્રી સત્યનારાયણની કથા કરવામાં આવનાર છે સાથે સાંજે પાંચ કલાકે સુંદરકાંડના પ્રવક્તા દર્શન મહારાજના સ્વર કંઠે સુંદરકાંડ નું આયોજન કરવામાં આવ્યું છે જેથી વડોદરા શહેરના તમામ શહેરીજનોને સત્યનારાયણ ભગવાનની પૂજા અને સુંદરકાંડ નો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

