નસવાડી ખાતે આજરોજ સરકાર ફળિયા ચારરસ્તા ની નુરાની મસ્જિદ થી કંવાટ રોડ સુધી ઈદે મિલાદ નુ જુલુસ કાઢવામા આવ્યુ ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પયગંબર સાહેબ ના જન્મ દિવસની મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદુન્નબી તરીકે ઉજવણી કરવામા આવેછે આજે નસવાડી સહીત સમગ્ર જિલ્લામાં જશ્ને ઇદે મીલાદુન નબી પર્વ ની ધામધુમ પુર્વક ઉજવણી કરવામા આવી ઇદે મિલાદ પર્વને લઇને મુસ્લિમ બિરાદરોમાં અનેરો ઉત્સાહ વર્તી રહ્યો છે નસવાડી નગરમાં મુસ્લિમ બિરાદરો એકત્ર થઈ સરકાર કી આમદ મરહબા ના નારાઓ થી વાતાવરણ ગુંજી ઉઠ્યો હતો જુલુસ નસવાડીના મેન બજાર માંથી નીકળી કવાંટ રોડ સુધી લઈ જવામા આવ્યુ હતુ અને ત્યાંથી પરત જુલુસ નુરાની મસ્જિદ પર આવ્યુ હતુ
આ જુલુસમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઠેર ઠેર ન્યાઝનુ આયોજન કરવામાં આવ્યુ હતુ અને જુલુસમાં વડીલો યુવાનો અને નાના ભુલકાઓ જોડાયા હતા અને જુલુસનો આનંદ માણ્યો હતો ઇદે મિલાદ નુ જુલુસ શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન થયુ હતુ અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યુ હતુ અને તહેવારની ઉજવણી ધામધુમ થી કરવામાં આવી હતી

