Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

VMC દ્રારા દોઢ વર્ષ પહેલા ચાર કરોડ ઉપરાંતના ખર્ચે રીંગરોડ બનાવવામાં આવ્યો હાલ ગટર લાઈન નાખવાની હોવાથી ખોદી નાખવામાં આવ્યો

વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા દોઢ વર્ષ પહેલા ચાર કરોડ ઉપરાંતના ખર્ચે રીંગરોડ બનાવવામાં આવ્યો હતો તે રોડ હાલ ગટર લાઈન નાખવાની હોય ખોદી નાખવામાં આવી રહ્યો છે તો શું દોઢ વર્ષ પહેલા અને રોડ બનતા પહેલા ગટર લાઈનની કામગીરી કેમ ના કરી ? શું ત્યારે સત્તાધીશો અને અધિકારીઓને ભાન ન હતું મુખ્યમંત્રી સાહેબ વારંવાર જણાવે છે કે તમામ વિભાગો સંકલન કરે પછી જ રોડ બનાવવો પરંતુ વડોદરા મહાનગરપાલિકાની ભ્રષ્ટાચારની ઉલ્ટી ગંગા ને કારણે મુખ્યમંત્રીશ્રીની શિખામણને પણ સ્વીકારવા તૈયાર નથી તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જેમકે શેઠની શિખામણ ઝાપા સુધી વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના મેળાપણાના કારણે ખૂબ જ ભ્રષ્ટાચાર વધી રહ્યો છે તેવું હાલ ચિત્ર ઉભું થયું છે હાલ આ રોડ પર ગટર લાઈન નાખતા વાહનો એક જ રોડ ચાલુ રહેવાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે સાથે રોડ આખો બંધ થઈ જવાથી દુકાનદારો પણ હેરાન થઈ રહ્યા છે
સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ વધુમાં જણાવ્યું છે કે એકવાર રોડ ખોદાઈ જાય ત્યાર પછી રોડની વેલીડીટી પૂરી થઈ જતી હોય છે ત્યારે હવે આ ગટર લાઈન નાખવાથી નવેસરથી નવો રોડ બનાવી રાજકારણીઓ અધિકારીઓ ભ્રષ્ટાચારને વેગ આપી રહ્યા છે તેવું સ્પષ્ટ ફલિત થાય છે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને જનતાના વેરાના નાણા નો સાચો અને સારો ઉપયોગ કરવાની માંગ સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા કરવામાં આવી છે

Related posts

વાયરલ વિડિઓ બાદ સ્કૂલ વાનના ડ્રાઇવરને પકડી પાડતી મકરપુરા પોલીસ

admin

ડભોઇ યાત્રાધામ ચાંદોદના શ્રી માધવાનંદ આશ્રમ ખાતે 37 મો નિ:શુલ્ક નેત્રયજ્ઞ તથા દંતયજ્ઞ નિદાન કેમ્પ યોજાયો

admin

એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા બચાવવામાં આવ્યો

admin

Leave a Comment