જુનાગઢ જિલ્લાના માંગરોળની ગોપાલ કૃષ્ણ ગૌશાળાના પટાંગણમાં અમરનાથ દર્શન ની અનુભુતિ થતો આયોજન કરવામાં આવ્યુ જેમા પ્રથમ ખાસ ઉપસ્થિત ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા,વેલજીભાઈ મસાણી શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, નગરપાલિકા પ્રમુખ ચિફ ઓફીસર પાલીકા સભ્યો વેપારીઓ આગેવાનો સહીત મુખ્ય મહેમાનોની ઉપસ્થિતીમાં બરફના શિવલીંગ બાબા અમરનાથ દશઁનનો શુભારંભ કરાતા માંગરોળ સહીત આસપાસ ના ગ્રામ્ય વિસ્તારના મોટી સંખ્યામાં દર્શનાર્થી લોકો દશઁન કરવા ઉમટી પડ્યા હતા.
પવિત્ર શ્રાવણ માસના અંતિમ બે દિવસ સુધી આયોજીત અમરનાથ દર્શન નો વધુમાં વધુ ભકતોને લાભ લેવા ગૌશાળાના પ્રમુખ સહીત ટ્રસ્ટીઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી.

