એમએસયુની કોમર્સ ફેકલ્ટીમાં ટીવાય બીકોમના રીઝલ્ટના મુદ્દે એજીએસયુ ગ્રુપ દ્વારા ભારે સુત્રોચાર સાથે ફેકલ્ટી ડીનને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
એમએસયુની કોમર્સ ફેકલ્ટી ખાતે એસવાય અને ટીવાય બીકોમ હોનર્સ સેમેસ્ટર 3 અને 5 ની ઈંટર્નલ પરીક્ષા સમાપ્ત થઈ ગઈ છે.ફેકલ્ટી ના સતાધીશો દ્વારા ઈંટર્નલ પરીક્ષાનું પરિણામ 40 થી 50 દિવસો માં જાહેર કરવામાં આવે છે.જે ખૂબ જ વિલંબ કેહવાય,હાલના કોમર્સ ફેકલ્ટીના ડિન પ્રોફેસર જે.કે.પંડ્યાને જ્યારે વર્ષ 2020 માં ફેકલ્ટીમાં થનારી ઈંટર્નલ પરીક્ષાની સંપૂર્ણ જવાબદારી આપવામાં આવી હતી. ત્યારે તેમના દ્વારા દરેક પરીક્ષાના પેપરના દિવસે મોડી સાંજે તેનું પરિણામ જાહેર કરી દેવામાં આવતું હતું.જેથી ફેકલ્ટી તથા વિદ્યાર્થીઓમાં આનંદનો માહોલ બનતો હતો.ફરી વાર જ્યારે પ્રોફેસર જે.કે.પંડ્યાએ કોમર્સ ફેકલ્ટીના ડિન છે.ત્યારે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયનની માંગ છે કે હવે થી દરેક ઇન્ટરનલ પરીક્ષાનું પરિણામ પરીક્ષા સમાપ્ત થાય તેના 15 દિવસની અંદર કહેર કરવામાં આવે, જેથી વિધાર્થીઓને વહેલી તકે તેમનું પરિણામ મળી શકે.

