દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની શરુઆત પૂર્વે આજવા સરોવર ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભગવાન શ્રી સત્યનારાયણ ની કથા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાલમાં એક તરફ દક્ષિણ ભારતમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઇ ચૂકી છે અને બે ચાર દિવસમાં આ ચોમાસું મહારાષ્ટ્ર અને ત્યારબાદ ગુજરાતમાં આવી જશે ત્યારે વર્ષોની પ્રણાલી મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના જીવાદોરી સમાન પાણી પૂરું પાડતા આજવા સરોવરમાં ચોમાસામાં પૂરતું પાણી આવે તેમજ વરસાદ સારો રહે, અતિવૃષ્ટિ કે પૂર જેવી કોઇ કુદરતી આફતો શહેરમાં ન આવે તે માટે ભગવાન સત્યનારાયણની કથા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ ભગવાન સત્યનારાયણને પ્રાર્થના કરવામાં આવી હતી.શહેરમા જે વિસ્તારમાં પીવાના પાણીની સમસયા છે અથવાતો નવીન લાઇનો નાખવાની છે, જૂની લાઇનો બદલવાની હશે તે કામગીરી પણ પ્રાથમિકતાના ધોરણે કામગીરી કરવામાં આવશે.આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા સરોવર ખાતે યોજાયેલી ભગવાન શ્રી સત્યનારાયણની કથા પૂજનમાં વડોદરાના મેયર પિન્કીબેન સોની, મ્યુનિસિપલ કમિશનર ડેપ્યુટી મેયર, દંડક,શાસક પક્ષના નેતા, સાંસદ ડો. હેમાંગ જોશી, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ સહિતના મ્યુનિસિપલ કાઉન્સિલરો, પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

