વડોદરા શહેર ભાજપ અનુસૂચિત મોરચા દ્વારા મોરચાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ તથા પૂર્વ સાંસદ ડો. કિરીટભાઈ સોલંકીનો સન્માન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. કાર્યક્રમમાં હાજર કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા તેમની નિયુક્તિ બદલ અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
શહેર પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોનીએ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ડો. કિરીટભાઈ સોલંકીની આગેવાનીમાં અનુસૂચિત મોરચો વધુ મજબૂત બનશે અને સંગઠનાત્મક કાર્ય દ્વારા ભાજપની વિચારધારા જન-જન સુધી પહોંચાડાશે.
વડોદરા મહાનગર એસ.સી. મોરચાના પ્રમુખ એડવોકેટ હર્ષદ પરમારે પોતાની ટીમ સાથે પ્રદેશ અધ્યક્ષ ડો. કિરીટભાઈ સોલંકીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો.
નવનિયુક્ત અધ્યક્ષ ડો. સોલંકીએ સૌનો આભાર વ્યક્ત કરી જણાવ્યું કે તેઓ સમાજના વિકાસ અને સંગઠનની મજબૂતી માટે સતત કાર્યશીલ રહેશે.

