રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે થેલેશમીયા ગ્રસ્ત બાળકો માટે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું હાલ રાજકોટ જિલ્લામાં કેટલાય બાળકો થેલેસ મિયા રોગથી પીડાતા હોય જેમને દર મહિને અવારનવાર રક્ત ની જરૂરત ઊભી થતી હોય આવા સમયે રાજકોટના રામેશ્વર હોલ ખાતે રાજકોટના યુવાનો અગ્રણીઓ અને આગેવાનો દ્વારા એક રક્તદાનનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ ભાગ લીધો હતો અને માનવ સમાજ માટે ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું આમ રામેશ્વર હોલ ખાતે આ રક્તદાન કેમ્પ સંપન્ન થયો હતો જેનો સદ ઉપયોગ સિવિલ હોસ્પિટલના દર્દીઓ માટે કરવામાં આવ્યો હતો બ્યુરો ચીફ નરેન્દ્ર રાઠોડ રાજકોટ

