મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની છોટાઉદેપુર કચેરીનો કાર્યક્ષેત્ર ખુબજ વિશાળ છે,અને જ્યારે જ્યારે કોઈ ટેક્નિકલ ખામી સર્જાય ત્યારે તેની કમ્પ્લેન કર્યા બાદ એક એક સપ્તાહ સુધી તેનું મેન્ટેન્સ ન થઈ શકવાને લઈ વીજપુરવઠો ખોરવાયેલો રહેતો. અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો..MGVCL કચેરીના નાયબ ઈજનેર રચનાબેન મિસ્ત્રી એ માહિતી આપતા જણાવ્યું હતું કે છોટાઉદેપુર નગર સહિત અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ લાઇન મેન્ટેનન્સ માટે અત્યાર સુધી છોટાઉદેપુર કચેરી પાસે સીડી વાળી એકમાત્ર મોબાઈલ વેન માત્ર 12 કલાક પૂરતી જ ઉપલબ્ધ હતી ,જેને લઈ છોટાઉદેપુર નગર સહિત ગ્રામ્ય વિસ્તારોની વીજ ફોલ્ટ કમ્પ્લેન ના લાંબા લિસ્ટ ના નિરાકરણ માટે લાંબો સમય લાગતો હતો, પરંતુ MGVCL છોટાઉદેપુર કચેરીના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારોમાં નાગરિકોને હવે મેન્ટેનન્સ માટે લાંબો સમય રાહ નહીં જોવી પડે,કારણકે હવે ત્રણ ટેક્નિકલ સ્ટાફ સાથે સીડી વાળી એક નવી વેન 24×7 સમય માટે ગ્રાહકો માટે ફાળવવામાં આવી છે. We bring miles of smiles with trusted and caring solution સૂત્ર સાથે FRT એટલેકે ફોલ્ટ રેકટિફિકેશન ટિમ ના નામથી આ મેન્ટેનન્સ વેન ની શરૂઆત કરવામાં આવી છે,સાથે જૂની વેન જે 12 કલાક પૂરતી સેવામાં હતી તેને પણ 24×7 કરવામાં આવી છે,સાથે ગ્રાહકોને ઓન લાઇન ફરિયાદ માટેના ટોલ ફ્રી નંબરમાં પણ એક નંબરનો વધારો કરાયો છે,વીજ ગ્રાહકો 1800 233 2670 ટોલ ફ્રી નંબર ઉપર પોતાની ફરિયાદ નોંધાવી શકશે..
previous post

