વડોદરાના આજવા રોડ પર એકતાનગર ખાતે બે જૂથ વચ્ચેના ઝઘડા બાદ પોલીસની PCR વાન પર પથ્થરમારો કર્યો હતો. જેમાં કેટલાક શખસોના હાથમાં તલવારો હતી. આ મામલે બાપોદ પોલીસ રાયોટીંગ અને સરકારી પ્રોપર્ટીને નુકશાન હેઠળ 3 સગીર , 3 મહિલા સહિત કુલ 11 આરોપી સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. બાળકોના ઝઘડામાં પરિવારો વચ્ચે માથાકૂટ થઇ હતી. અને પોલીસ વેન ઉપર પથ્થર ફેંકી કાંચ તોડ્યા હતા.

