Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

સતત વરસતા વરસાદે ગ્રામ્ય વિસ્તારોનું જનજીવન ઠપ થઈ ગયું

નસવાડી તાલુકોમાં છેલ્લા છ દિવસથી સતત વરસી રહેલા ૩ ઈંચ થી વધુ વરસાદથી વિધ્વંસક અસર ઝીલી રહ્યો છે.સતત વરસતા વરસાદે ગ્રામ્ય વિસ્તારોનું જનજીવન ઠપ થઈ ગયું છે, જ્યારે ખેડૂતોની હાલત વધુ દયનીય બની ગઈ છે.હાલ ડાંગર, સોયાબીન પાકમાં કાપણીનો સમય ચાલી રહ્યો હોવાથી ખેડૂતો પાક કાપવાની તૈયારીમાં છે. હતા, પરંતુ ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાક જમીનમાં જ સળી જવાની પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ડાંગર, કપાસ, મકાઈ, સોયાબીન, અડદ દિવેલા અને કેળા જેવા મુખ્ય પાકને ભારે નુકસાન થયું હોવાનું પ્રાથમિક અહેવાલો પરથી જાણવા મળે છે.ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા ખેતરોમાં પાણીનો નિકાલ ન થવાને કારણે ખેડૂતોની મહેનત પાણીમાં વહી ગઈ છે.ખેડૂતોએ જણાવ્યું છે કે વરસાદનો આ તાંડવ ચાલુ રહે તો પાકનું સંપૂર્ણ નાશ થવાની શક્યતા છે.સ્થાનિક સ્તરે કૃષિ વિભાગ દ્વારા નુકસાનનું સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. ખેડૂતોમાં ભારે નિરાશા ફેલાઈ છે અને ઘણા ખેડૂતો સરકાર પાસેથી તાત્કાલિક કૃષિ રાહત અને સહાય પેકેજ જાહેર કરવાની

Related posts

નિપુણ ભારત અંતર્ગત ધોરણ 1 થી 8 ના બાળકો માટે જિલ્લા કક્ષાની બાળવાર્તા સ્પર્ધા મોડેલ સ્કૂલ મુકામે યોજાઈ.

admin

ઝોઝ પોલીસ સ્ટેશન દ્વારા ઓઝડી ગામે આર.સી.સી રોડ પાસે વળાંક ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો

admin

છોટાઉદેપુર જિલ્લામાં ભંગોરિયાના મેળાનો રંગારંગ પ્રારંભ, આદિવાસી સંસ્કૃતિ ઝળહળી

admin

Leave a Comment