
જુનાગઢ સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પિઠીયા, પ્રદેશ મહામંત્રી ઝવેરીભાઈ ઠકરાર, શહેર પ્રમુખ દેવાભાઈ ધારેચા વગેરે ઉપસ્થિત રહ્યા.ભારત સરકારના શ્રમ અને રોજગાર તેમજ યુવા વિકાસ મંત્રી ડૉ.મનસુખભાઈ માંડવીયાએ સજોડે સોમનાથ મહાદેવના દર્શન કરી સોમેશ્વર મહાપૂજા કરી તેમજ પાઘ પૂજા કરીને સોમનાથ મહાદેવને પાઘ અર્પણ કરી.સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ મંત્રીશ્રીનું અભિવાદન કરી સ્મૃતિ ભેટ અર્પણ કરેલ.

