વડોદરા ના પ્રસિદ્ધ કારેલીબાગ શ્રી જલારામ બાપાના મંદિરે વહેલી સવારથી જ ભક્તો 10નાથી ઉમટ્યા હતા મંદિરના મહા આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ મહાભંડારાનું પણ ભાવીભક્તો માટે આયોજન કરવામાં આવ્યું છે.
ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આપનાર એવા સંત શિરોમણી શ્રી જલારામ બાપાની દેશભરમાં આજે 225 ની જન્મ જયંતી ની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરમાં આવેલા તમામ જલારામ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તો દર્શના થી ઉમટી પડ્યા હતા તમામ મંદિરોમાં બુંદી ગાંઠિયા સહિતની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે જ કેટલીક જગ્યાઓ પર શોભાયાત્રા પણ યોજાઈ હતી સાંજે પણ મહા આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

