ઈકોયુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર અને સબજેલ છોટાઉદેપુરનાં સંયુક્ત ઉપક્રમે જનનાયક બીરસા મુંડાજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઈકોયુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટનાં મંત્રી મનુભાઈ રાઠવા, તેમજ સભ્યો નિરંજનભાઈ રાઠવા, વાલસિંગભાઈ રાઠવા, મનિષભાઇ રાઠવા,ડો જયેશ રાઠવા સહિત સમગ્ર ટીમ ઉપસ્થિત રહી બંદીવાન કેદીઓને બીરસા મુંડાનાં જીવન ચરિત્ર વિશે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે આઝાદીની લડતનાં ક્રાન્તિકારી લડવૈયાઓ તથા સમાજ સુધારકોનાં પ્રેરણાદાયી પુસ્તકો બંદીવાન કેદીઓને વાંચવા માટે ભેટ આપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સબજેલના સુપ્રિટેન્ડેન્ટ ડી.કે.પરમાર સહિત જેલનો સ્ટાફ તથા બંદીવાન કેદીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

