વિસાવદર ખાતે કેશુભાઈ પટેલ માર્કેટ યાર્ડ ની અંદર ખેડૂત જન આક્રોશ રેલીનો થયું આયોજન આજે વિસાવદર ખાતે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત જન આક્રોશ રેલી તેમજ પ્રાંત અધિકારીને ખેડૂતોના પાકને વરસાદના કારણે થયેલ નુકસાનનું વળતર આપો અને દેવું માફ કરવું તે બાબતનું આવેદનપત્ર વિસાવદર તાલુકા ના ખેડૂત આગેવાનો અગ્રણીઓ દ્વારા આપવામાં આવ્યો હતો અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ભવ્ય ટ્રેક્ટર રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રાજ્યપાલ સમક્ષ માગણી કરી હતી કે ખેડૂતોનું જે વરસાદને કારણે નુકસાન થયું છે તેનું વળતર આપવામાં આવે અને ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હતું ગુજરાત ભરમાંથી કોંગ્રેસના આગેવાનો અગ્રણીઓ પૂર્વ ધારાસભ્ય પૂર્વ સાંસદ શ્રી ઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને હાલની ભાજપ સરકારને સખત શબ્દોમાં વખોડી હતી આવનાર 2027 ની ચૂંટણીમાં ખેડૂત લોકોએ સમજદારી પૂર્વક મતદાન કરી સારા પક્ષ ના હાથમાં દેશનું સુકાન સોંપવામાં આવે તેવું પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં ખેડૂત આગેવાનો અને ખેડૂતો પોતાના ટ્રેકટરો લઈ રેલીમાં જોડાયા હતા

