30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં તા.૧ થી ૩ ઓકટોબર દરમિયાન ખાનકાહે રિફાઈયા ખાતે હઝરત સૈયદ ફખરૂદીન અલ્ગારૂફ અમીરમીયા રિફાઈ (રહે.) ના ૧૮૪ માં ઉર્સ-શરીફની થનારી ભવ્ય ઉજવણી

વડોદરા શહેરમાં દાંડીયા બજાર, બદામડી બાગ સામે આવેલ ખાનકા—આલિયા રિકાઈયા ખાતે આગામી તા. ૦૧ થી તા. ૦૩ મી ઓકટોબર દરમિયાન કોમી એક્તાના પ્રતિક સમા રૂખરૂલ અવલીયા શમસુલ અતકીયા હઝરત મૌલાના પીર સૈયદ રૂખરૂદીન ગુલામહુસેન અલ-મારૂક અમીરમીયાં રિફાઈ (રહે.) સાહેબના ૧૮૪ માં ઉર્સ-શરીફની ઉજવણી નિમિત્તે ખાનકાહના સજજાદા નશીન પીર અલ્હાજ સૈષદ કમાલુદ્દીન મઝહરૂસ્લાહ રિફાઈ સાહેબની નિગેહબાની હેઠળ આ દિવસોમાં વિવિધ કાર્યક્રમોનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. અને તે અંગેની તમામ તૈયારીઓ હાલમાં પુરજોશમાં ચાલી રહી છે. આ ઉજવણી પ્રસંગે સૈયદ કમાલુદીન મઝહરૂલ્લાહ રિફાઈ તેમજ સેષદ મોઈનુદ્દીન (ઉર્ફે નૈયદરભાબા) રિફાઈ અને સૈષદ કિસામુદ્દીન રિફાઈ સાહેબ અકીદતમંદો-શ્રદ્ધાળુઓને ખાસ આશિવન પાઠવશે.

આ ત્રિદિસીય ઉર્સ ઉજવણીના આયોજન મુજબ તા. ૧-૧૦-૨૦૨૪ ને મંગળવાર ના રોજ પ્રથમ દિવસે અસરની નમાઝ બાદ ખાનકાહના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર “શાને રિફાઈયા” નો પરચમ લહેરાવવામાં આવશે, અને રાત્રે ઈશાની નમાઝ બાદ “ઝિકે રિફાઈયા” ની મહેફીલ યોજાશે. બીજા દિવસે તા. ૨-૧૦-૨૦૨૩ ને બુધવાર ના રોજ ફઝરની નમાઝ બાદ મઝારે મુકવસાને ગુસલ આપવામાં આવશે. ત્યારબાદ સાંજે ૪-૦૦ કલાકે ખાનકાહે આલીયા રિફાઈયા, દાંડીયા બજાર ખાતેથી પીર અલ્હાજ સૈયદ કમાલુદ્દીન મઝહફલ્લાહ રિફાઈ સાહેબ સંદલના જુલુસને પ્રસ્થાન કરાવશે. આ જુલુસ શહેરના વિવિધ વિસ્તારો અને રાજમાર્ગો ઉપર ગરસ્ત કરતું રાત્રે ૧૧-૦૦ કલાકે ખાનકાહ શરીફમાં પરત ફરશે અને જેમના ઉર્સ-શરીફની ઉજવણી થઈ રહી છે. તે બુઝુર્ગ પીર હઝરત સૈયદ ફખરૂદ્દીન અલ્મારૂફ અમીરમીયાં રિફાઈ સાહેબના મઝાર શરીફ પર પીર સૈયદ કમાલુદ્દીન રિફાઈ સાહેબ ખાસ હાજરી આપનાર રિફાઈ સિલસિલાના અન્ય બુઝુર્ગોના હસ્તે સંદલ ચઢાવવામાં આવશે. તા. ૩-૧૦-૨૦૨૪ ને બુધવારે સાંજે ૫-૦૦ કલાકે મિલાદ-શરીફના કાર્યક્રમ બાદ હુઝુરે અકરમ રસુલુલ્લાહ (સ.અ.વ.) સાહેબના બાલ-મુબારકની જીયારત તેમજ રિફાઈ સિલસિલાના બુઝુર્ગોના પરંપરાગત પોષાક તથા પીર હઝરત સૈયદ ઝેનુલઆબેદીન રિફાઈ (રહે.) દ્વારા હસ્તલિખિત કુરાન-શરીફ તથા કાબાશરીફના ગિલાફ મુબારકના દિદાર કરાવવામાં આવશે. રાત્રે ઈશાની નમાઝ બાદ રાતીબે રિફાઈના જલ્સા સાથે ઝર્બનો કાર્યક્રમ પણ યોજાશે અને ત્યારબાદ મહેફીલે સમા (કવ્વાલી) ના જલ્સામાં ભારતના મશહુર કવ્વાલો તેમના કલામો રજુ કરશે. અને તા. ૪- ૧૦-૨૦૨૪ ને શુક્રવાર રોજ જુઆ ની નમાઝ બાદ કુલ શરીફ ની રસ્મ અદા કરવામાં આવશે.

Related posts

વડોદરામાં ચૈત્રી નવરાત્રી અષ્ટમી નિમિત્તે 111 કુંવારિકાઓનું પૂજન કરી અનોખી ઉજવણી

admin

શાળાનો રમતોત્સવ એ એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે જે વિદ્યાર્થીઓને શારીરિક અને માનસિક રીતે વિકસિત કરવામાં મદદ કરે છે.

admin

આશરે 80 કરોડ ઉપરાંતની માતબર રકમના ખર્ચે મંજુર અને નિર્માણ થયેલ સાવલી સાંકરદા રોડ વિવાદનો મામલો

admin

Leave a Comment