૧) કથળી ગયેલા રોડ રસ્તાના લીધે વડોદરા શહેરમાં એક ૩૯ વર્ષના ગરીબ યુવાન રિક્ષા ચાલકનું મૃત્યુ થયું હતું, સાંસદ શ્રી એ આ યુવાનના પરિવાર માટે શું કર્યું? શું સાંસદશ્રી પરિવારને સાંત્વના આપવા પણ ગયા હતા?
૨) વડોદરાની આસપાસ ના હાઇવે ના ખાડા ખુબ ગંભીર છે, આમ નાગરિકોને સાધનનું ખુબ નુકશાન થઇ રહ્યું છે, શું સાંસદશ્રી હાઈવે ઓથોરિટી ને રજૂઆત કરી, નાગરિકોને વળતર અપાવી શકશે?
૩) જ્યારે સાંસદશ્રી પોતે સ્વીકારે છે કે વડોદરાના હાઈવે બિસ્માર હાલતમાં છે ત્યારે હાઈવેના ખાડા જ્યાં સુધી રિપેર ના થાય ત્યાં સુધી કોઈ પણ ટોલ ઉઘરાવી ન શકાય, શું આવી કોઈ રજૂઆત સાંસદશ્રી દ્વારા હાઈવે ઓથોરિટીને કરવામાં આવી હોય તો વડોદરાની જનતાને જણાવે
૪) વડોદરા શહેરમાં ગતવર્ષે ૨ મહિનામાં ૩ વખત પુર આવ્યું, વિશ્વામિત્રી પ્રોજેક્ટ ને આગળ ધપાવવા સાંસદશ્રી એ પોતાના કોટા માંથી કેટલું ફંડ ફાળવામા આવ્યું એની પણ જાણકારી આપે
૫) ૮ વર્ષોથી ભાજપના નેતાઓ દ્વારા મોટા ઉપાડે વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ નું ઉદ્ઘાટન તો કર્યું અને સાંસદશ્રી હેમાંગ જોષી સાંસદ બનતાની સાથે ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવા રજૂઆતો તો કરી પરંતુ આજદિન સુધી વડોદરા ના નાગરિકો ઈન્ટરનેશનલ ફ્લાઈટ ની રાહ જોઈ રહ્યા છે, સાંસદ શ્રી શું માત્ર રજૂઆતો કરે છે કે? કેમ આપણી આ રજૂઆતો પરિણામમાં પરિવર્તિત નથી થઈ શકતી? અને વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટનુ નામ “સર સયાજીરાવ ગાયકવાડ ઈન્ટરનેશનલ એરપોર્ટ” ક્યાં સુધી થશે?

