વડોદરા : દશેરાના તહેવારને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.આરોગ્ય વિભાગ દ્વારા ફાફડા જલેબીના વિક્રેતાઓને ત્યાં તપાસ કરવામાં આવી છે.ફરસાણની દુકાનોમાં ફાફડા અને જલેબીના સેમ્પલ લઈને કામગીરી હાથધરાઈ છે.જ્યાં મકરપુરા વિસ્તારની દુકાનમાં ચોખ્ખાઈ નહીં હોવાથી નોટિસ અપાઈ હતી.જોકે,દશેરાના તહેવાર બાદ નાગરિકો જ્યારે ફાફડા જલેબી આરોગી લેશે બાદમાં આ સેમ્પલના પરિણામ આવશે.

