ચાર ધામની યાત્રા શરૂ થઈ છે.ત્યારે, કેદારનાથ મંદિરનો ઐતિહાસિક શણગાર વડોદરાના શિવભક્તો દ્વારા ચાલુ કરવામાં આવ્યો હતો.
ચાર ધામની યાત્રા શરૂ થઈ છે.ગંગોત્રી યમુનોત્રી ધામના કપાટ ખુલ્યા છે.ત્યારે,પ્રથમ દિવસે 8 હાજરથી વધુ ભક્તો પહોંચ્યા હતા. ઉત્તરાખંડની પ્રખ્યાત ચારધામ યાત્રા બુધવારે અક્ષય તૃતીયાના અવસર પર ગંગોત્રી અને યમનોત્રી મંદિરના કપાટ ખોલવાની સાથે શરૂ થઈ હતી. પહેલા દિવસે હજારોની સંખ્યામાં ભક્તોએ ગંગોત્રી અને લગભગ 3000 ભક્તોએ યમનોત્રીના દર્શન કર્યા હતા. કેદારનાથ ધામના દરવાજા બે મહિના રોજ ખુલશે. જ્યારે બદ્રીનાથના દરવાજા ચાર મહિના રોજ ખુલશે શિયાળામાં આ ચાર મંદિરો છ મહિના બંધ રહે છે. ત્યારે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ચાર ધામની યાત્રા શરૂ થઈ છે.ત્યારે, કેદારનાથ મંદિરનો ઐતિહાસિક શણગાર વડોદરાના શિવભક્તો દ્વારા ચાલુ કરવામાં આવ્યો હતો.આ અંગે વધુ માહિતી સ્વેજલ વ્યાસે આપી હતી.

