છોટા ઉદેપુર જીલ્લાના છ તાલુકામાં આવેલ છે જેમાં કુલ અંદાજીત ૧૧૨ જેટલા ગ્રામ સેવકોનું મહેકમ છે. પરંતુ તેની સામે હાલની દ્રષ્ટીએ બોડેલી-૧૩, સંખેડા-૧૪, કવાંટ-૧૩, છોટાઉદેપુર-૧૦, જેતપુર પાવી-૧૦, નસવાડી-૧૧ કરીને કુલ ૭૧ જ ગ્રામ સેવકો છે. જે અનુસંધાને અંદાજીત ૪૧ જેટલા ગ્રામ સેવકોની ઘટ.
ગ્રામ સેવકોની ઘટ ના કારણે ૧ ગ્રામ સેવકને ૨ થી ૩ ગામનો ચાર્જ લેવો પડે છે. જેના કારણે ગ્રામ સેવકો દ્રારા પુરતો સમય આપી શકતા નથી. જેની હાલાકી સામાન્ય જનતાને ભોગવી પડી રહી છે.
ગ્રામ્ય કક્ષામાં ખેતીવાડી ખાતાની યોજનાઓ સુંચારૂ આયોજન માટે ગ્રામ સેવકોને કામગીરી કરવાની હોય છે. જેમાં પ્રધાન મંત્રી કિશાન નિધિ યોજના, સોઇલ હેલ્થ કાર્ડ, પાક કાપણી, કૃષિ યાંત્રિક કરૂણા યોજના, ખેતી લક્ષી આધુનિક સાધનો આપવાની યોજનાઓ વિગેરેની સહાય આપવાની કામગીરી કરાવવામાં માટે ગ્રામ સેવક મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ ગ્રામ સેવકોની પડતી ઘટના કારણે આવી યોજનાનો લાભો મેળવવામાં ખેડૂતોને મુશ્કેલી ઉત્પન થાય છે.
વિમલ રાઠવા, જેતપુર પાવી

