વિદુષી ડૉ ગાર્ગી પંડિત ના માર્ગદર્શન હેઠળ ગોમાતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આંદોલન ના સમર્થન માં વડોદરા માંડવી વિસ્તાર સ્થિત વિઠ્ઠલ મંદિર થી બ્રહ્મેશ્વર મહાદેવ, ચૌખંડી સુધી રેલી નું આયોજન કરવામાં આવ્યું , બ્રહ્મેશ્વર યુવક મંડળ, ચોખંડી ના શ્રી પ્રતીક પંચાલ સહિત યુવકો, ગો રક્ષા સમિતિ, પ્રતાપનગર (વડોદરા) ના અગ્રણી શ્રી સત્યમ શર્મા, મહિલા સુરક્ષા સમિતિ ગુજરાત ના પ્રમુખ એડવોકેટ શોભનાબેન રાવલ, એમ જી રોડ સ્થિત રણછોડજી મંદિર ના પૂજારી શ્રી મધુસૂદન જી દવે, તેમજ અન્ય ગો ભક્ત અને મહાનુભાવો એ પણ ભાગ લીધો સાથે ગોમાતા ને રાષ્ટ્ર માતા ઘોષિત કરાવવા માટે જે શંકાચાર્યજી ના નેતૃત્વ માં આંદોલન ચાલી રહ્યું છે એમાં સમર્થન આપતા આંદોલન માટે દરેક કાર્ય માં સમ્મિલિત થવા કટિબદ્ધ થયા.