રામ નવમી નિમિત્તે વડોદરા શહેરમાં કાલાઘોડા સર્કલ પાસે આવેલ પૌરાણિક રામ મંદિર પાસે માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. રામ મંદિરમાં આરતી અને ભજન કીર્તન કરવામાં આવ્યો હતો તેમ જ ભગવાનના દર્શન માટે ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યું હતું. આ નિમિતે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભગવાન શ્રીરામના દર્શન પૂજન કરવામાં આવ્યા હતા કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી તેમજ પુષ્પા વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા.અને ભગવાન ની આરતી નો આનંદ માણ્યો હતો.

