કાલાવડ ગીર ખાતે અનોખી રીતે પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નાના ભૂલકાઓ તથા ઝુપડપટ્ટી વિસ્તારના બાળકોને ભોજન કરાવી અનોખી રીતે પુણ્યતિથિ ઉજવની ઉદાહરણ પૂરું પાડ્યું વિસાવદર નજીક આવેલ કાલાવડ ગીર ના રહીશ ગેગડા અરવિંદભાઈ ઝીણાભાઈ ના ધર્મ પત્ની સ્વ ગીતાબેન અરવિંદભાઈ ગેગડા ની આજરોજ વાર્ષિક પ્રથમ પુણ્યતિથિ હોય પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી અને ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોને ભોજન કરાવી ગેગડા અરવિંદભાઈ ઝીણાભાઈ એ સમાજમાં એક અનોખું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું નાના નાના ભૂલકાઓને ભોજન અને ચોકલેટનું વિતરણ કરી દિવંગત આત્માને પ્રભુ શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી . વિસાવદરના છે ઝૂંપડાપટ્ટી વિસ્તારોમાં રહેતા મજુર લોકોના બાળકોને રૂબરૂ ત્યાં જઈ ભોજન કરાવી ખુશી વ્યક્ત કરી હતી અને અનોખું ઉમદા કાર્યનો ઉદાહરણ સમાજમાં ઊભૂ કર્યું હતું. રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર

