43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઈ અધૂરાં કામો અને પાણીની અછતથી લોકો ત્રાહિમામ,

નગરપાલિકાનું મૌન ક્યારે તૂટશે ડભોઈ શહેરના મહુડી ભાગોળથી સુંદરકુવા સુધીની પાણીની પાઈપલાઈનનું કામ લાંબા સમયથી ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે આ વિસ્તારના હજારો નાગરિકોને પીવાના પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત માટે પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. એક તરફ નગરપાલિકા દ્વારા આ વિશાળ વસ્તીને પૂરતું પાણી પૂરું પાડવા માટે કોઈ નક્કર વ્યવસ્થા કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ અને આક્રોશ ફેલાયો છે.

પાણી માટે પડાપડી: નગરપાલિકાની ઉદાસીનતા મહુડી ભાગોળ, માછી ખાડા અને રેલવે ફાટક નજીકના વિસ્તારમાં હજારો પરિવારો વસવાટ કરે છે. આટલી મોટી વસ્તી માટે નગરપાલિકા દ્વારા માત્ર એક જ પાણીનું ટેન્કર મોકલવામાં આવે છે. આ એક ટેન્કરથી પાણી ભરવા માટે સવારથી જ લોકોની લાંબી કતારો લાગે છે અને પાણી માટે ભારે ધક્કામુક્કી અને પડાપડી થાય છે. આ પડાપડીના કારણે મહિલાઓ અને બાળકો સહિત અનેક લોકોને ઈજાઓ પહોંચી છે કે, શું પીવાનું પાણી મેળવવા માટે અમારે રોજ લડવું પડશે?” નગરપાલિકાની આ બેદરકારી અને ઉદાસીનતા સ્થાનિકોના જીવ જોખમમાં મૂકી રહી છે.અધૂરાં કામોનો બોજ: સુંદરપુરા રોડ પણદયનીય હાલતમાં
પાણીની સમસ્યા ઉપરાંત, સુંદરપુરા રોડનું કામ પણ અધૂરું હોવાથી લોકોની મુશ્કેલીઓ બમણી થઈ છે. આ રોડ પર ઠેર-ઠેર ખાડાઓ પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તો વારંવાર બંધ રહે છે, જેના કારણે લોકોને લાંબા અંતરનો ફેરો ફરવો પડે છે. સ્થાનિકોએ અનેકવાર આ અંગે રજૂઆતો કરી છે, છતાં નગરપાલિકા કે સત્તાધીશો દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી.પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ ક્યારે?
સ્થાનિકોની માંગ છે કે નગરપાલિકાના સત્તાધીશો તાત્કાલિક આ ગંભીર સમસ્યાઓનું નિરાકરણ લાવે. પાણી પુરવઠા માટે પૂરતા ટેન્કરોની વ્યવસ્થા કરવામાં આવે અથવા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવે જેથી લોકોને રોજ-રોજ પડાપડી ન કરવી પડે. આ સાથે જ સુંદરપુરા રોડનું અધૂરું કામ પણ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે. જો નગરપાલિકા આ બંને સમસ્યાઓ પર ધ્યાન આપીને ત્વરિત કાર્યવાહી
શું નગરપાલિકા પ્રજાના આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે કોઈ પગલાં ભરશે કે પછી લોકોએ આ હાલાકીનો સામનો કરતા રહેવું પડશે? આ પ્રશ્ન હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

Related posts

સગીરે પંડાલમાં ઘુસી બે મૂર્તિ ખંડિત કરી દીધી

admin

“સ્વયં અને સમાજ માટે યોગ” થીમ સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી

admin

ટ્રાફિક પોલીસ દ્વારા માર મારવાની ઘટનાને લઈને સમગ્ર જાટ સમાજ દ્વારા પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત

admin

Leave a Comment