વડોદરાના છાણી ગામના ગ્રામજનોએ સ્મશાનમાં કોન્ટ્રાક્ટ પ્રથા લાદવાના મહાનગર પાલિકાના નિર્ણય સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. છેલ્લા 40 વર્ષથી એક ખાનગી ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક અથવા ઓછા ખર્ચે ચાલતું સ્મશાન હવે ખાનગી કંપનીને સોપાશે, જેનાથી સેવાઓના ચાર્જ વસૂલાય તેવી આશંકા છે. આ નિર્ણય સામે ગામલોકો અને વેપારીઓએ છાણી બજાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. તેમનું કહેવું છે કે અંતિમ સંસ્કાર પવિત્ર છે, તેને નફા-નુકસાનીના ધંધામાં ફેરવવું અનુચિત છે. ગામલોકોની માંગ છે કે જૂના ટ્રસ્ટને ફરીથી સ્મશાનનું સંચાલન સોંપવામાં આવે અને કોન્ટ્રાક્ટ પ્રથા તાત્કાલિક રદ કરવામાં આવે!

